Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીરઃ અવંતિપુરામાં થયું એન્કાઉન્ટર, 2 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરઃ અવંતિપુરામાં થયું એન્કાઉન્ટર, 2 આતંકવાદી ઠાર
X

સમાચારો અનુસાર સેનાએ અવંતિપોરાના શરાશી ખુરે વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે આ કાર્યવાહી મધ્યરાત્રિથી ચાલુ છે. સેનાને સમાચાર મળ્યા હતા કે, કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં ઘૂસી ગયા છે. આ પછી, સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ, જ્યારે આતંકીઓને તેની એક ઝલક મળી ત્યારે તેણે સેના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. હાલમાં બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.

દક્ષિણ કાશ્મીરના અવંતિપુરામાં હિઝબુલ મુજાહિદ્દીન રિયાઝ નાયકુ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાના અહેવાલ છે, પરંતુ સત્તાવાર રીતે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. બંને તરફ ફાયરિંગ હજુ પણ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે, મૃત આતંકવાદીનો મૃતદેહ એન્કાઉન્ટરના સ્થળે જમીન પર પડેલી જોવા મળી છે, પરંતુ મૃતદેહ કબજે કર્યા બાદ જ તેની ઓળખ જાહેર કરવામાં આવશે. બેથી ત્રણ આતંકવાદીઓ હજી છુપાયેલા છે અને સતત ફાયરિંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કાશ્મીરના હંદવાડા વિસ્તારના એક ગામમાં આતંકીઓ સાથેની એન્કાઉન્ટરમાં એક કર્નલ અને એક મેજર સહિત પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

આ એન્કાઉન્ટરમાં કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ અને જમ્મુ કાશ્મીર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શકીલ કાઝી સહિત પાંચ બહાદુર સુરક્ષા જવાનો ફરજ બજાવતા શહીદ થયા હતા. કર્નેલ અને તેની ટીમે નાગરિકોને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. જેને બહાદુરીથી મુક્ત કરાયો હતો. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

Next Story