Connect Gujarat
Featured

જામનગર : ઉતરાયણ નિમિત્તે ક્રિસ્ટલ મોલ મેનેજમેન્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને કરાયું પતંગ-ફીરકીનું વિતરણ

જામનગર : ઉતરાયણ નિમિત્તે ક્રિસ્ટલ મોલ મેનેજમેન્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને કરાયું પતંગ-ફીરકીનું વિતરણ
X

જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલ રીલાયન્સ ક્રિસ્ટલ મોલના મેનેજમેન્ટ દ્વારા જામનગર શહેરના અલગ અલગ તેમજ સ્લમ વિસ્તારોમાં રહેતા શ્રમિક અને જરૂરિયાત મંદ પરિવારના બાળકોને પતંગ અને ફિરકીની 250થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ કોરોનાની મહામારીના કારણે શ્રમિક પરિવારોને આર્થિક રીતે મુશ્કેલી પડતી હોય છે, ત્યારે ઉતરાયણને દાન કરવાનો તહેવાર માનવમાં આવે છે. તેવામાં શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પતંગ અને ફિરાકીની કીટનું વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તમામ જરૂરિયાતમંદ લોકો પણ રાજીખુશીથી ઉતરાયણનો તહેવાર ઉજવી શકે તેવા હેતુથી પતંગ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story