Connect Gujarat
Featured

જામનગર : મનપામાં પ્રચંડ જીત બાદ સીઆર પાટિલે મતદારોનો આભાર માન્યો

જામનગર : મનપામાં પ્રચંડ જીત બાદ સીઆર પાટિલે મતદારોનો આભાર માન્યો
X

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 50 બેઠકો સાથે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જામનગરમાં બહુમતી મેળવ્યા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની આભાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 6 મહાનગર પાલિકામાં ભાજપનો કેસરીયો લહેરતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. જામનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 50 બેઠકો પર જીત સાથે ફરી એક વખતા મનપામાં સત્તા બરકરાર રાખી છે. જામનગર મનપામાં જીત બાદ શહેરની વિશ્વકર્મા વાડીએ કાર્યકર્તા અભિવાદન સમારોહનું ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાત બહાર કરવા વધુ જોમ અને જુસ્સા સાથે પ્રજાના હિતના કાર્યોમાં લાગી જવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલનું ફૂલ હારથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઇ હિંડોચા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Next Story