Connect Gujarat
Featured

જામનગર : ભૂકંપના વધુ બે હળવા આંચકા આવવાથી શહેરીજનોમાં ગભરાટ

જામનગર : ભૂકંપના વધુ બે હળવા આંચકા આવવાથી શહેરીજનોમાં ગભરાટ
X

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી જમીનમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ગત બોપરે અને રાત્રે પણ જામનગર જિલ્લાના અલગ અલગ પંથકમાં ભૂકંપના બે હળવા આંચકા નોંધાયા હતા. આથી લોકોમાં ગભરાટ જોવા મળ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા દોઢ - બે માસથી સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યાં છે.

સતત બે દિવસથી આવી રહેલા ભૂકંપના આંચકામાં ગઈકાલે અને બોપરના ૧.૧૫ કલાકે ૨.0ની તીવ્રતા નો આંચકો અને રાત્રે ૧૦ વાગ્યે ૨.૩ ની તીવ્રતાનો આંચકો શહેરીજનોએ અનુભવ્યો હતો. જોકે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલનીની કોઈ નુકશાનીના અહેવાલો મળ્યા નથી.

Next Story