Connect Gujarat
ગુજરાત

ખરો કળયુગ: માતાએ દીકરીને ધકેલી દેહ વ્યાપાર તરફ

ખરો કળયુગ: માતાએ દીકરીને ધકેલી દેહ વ્યાપાર તરફ
X

જામનગરમાં સગી પુત્રીને દેહ વ્યાપાર તરફ ધકેલનાર માતા તથા મોટી બહેન અને ૬ ગ્રાહકો સામે ભોગ બનનાર તરૂણીએ ત્રણ વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવ્યા પછી આ કેસ ચાલી જતા અદાલતે આરોપીઓને તકસીરવાર ઠરાવ્યા હતાં. આ તમામ આઠ પૈકીના માતા-બહેનને સાત-સાત વર્ષની કેદ તથા ૬ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે.

જામનગરમાં ચકચારી બનનાર આ કિસ્સામાં સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની એક તરૂણીએ વર્ષ ૨૦૧૬માં પોતાની માતા રૂકસાનાબેન અનવરભાઈ તેમજ બહેન પોતાની પાસે ધરારથી દેહનો વ્યાપાર કરાવતી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીના નિવેદન પરથી માતા, બહેન તેમજ ગ્રાહક તરીકે આવતા રણજીતસિંહ ઉર્ફે દશરથસિંહ ખુમાનસિંહ જાડેજા, બસીર હસન સાજણ, વિનોદ હીરાભાઈ ઉર્ફે ભુરા, કિરણભાઈ જેરામભાઈ બોરીચા,અકબરગુલામ બદરમીયા સહિતના છ સામે આઈપીસી ૩૭૬ (ડી), ૫૦૪, ૫૦૬ (એ), પોક્સો એક્ટની કલમ ૪, ૫, ૬, ૧૭ અને ઈમમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટની કલમ ૪,૫,૬ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ જામનગરની પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકારપક્ષે તપાસનીસ અધિકારી, તબીબ વિગેરેની જુબાની લેવડાવવા ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજુ કરતા ન્યાયમૂર્તિ પી.સી. રાવલે આઠેય આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતાં. આ તમામને આજે સજા સંભળવવામાં આવી છે. અદાલતે માતા રૃકસાનાબેન તથા ભોગ બનનારની મોટી બહેને મુસ્કાન રફીકભાઈ સમાને ઈમમોરલ ટ્રાફિક પ્રીવેન્શનના ગુન્હામાં સાત-સાત વર્ષની કેદની સજા અને આરોપી દશરથસિંહ, બસીર, વિનોદ ઉર્ફે ભુરા, કિરણભાઈ બોરીચા, અકબરગુલામ સહિત છને આજીવન કેદની સજા ફટકારી છે.

Next Story