જામનગર : ભગવાન NSUIને સદબુધ્ધિ આપે તે માટે ABVPએ કર્યો “સદબુધ્ધિ યજ્ઞ”
BY Connect Gujarat8 Jan 2020 12:13 PM GMT
X
Connect Gujarat8 Jan 2020 12:13 PM GMT
ભગવાન NSUIને સદબુધ્ધિ આપે તેવા સૂત્રોચ્ચાર સાથે જામનગર ABVPના કાર્યકરોએ ‘સદબુધ્ધિ યજ્ઞ’નું આયોજન કર્યું હતું. યજ્ઞ દરમ્યાન ABVP દ્વારા NSUI વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.
ગત રોજ NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધના બહાને કર્ણાવતી મહાનગર સ્થિત ABVPના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ABVPના કાર્યકર્તાઓ ઘાયલ થતાં જામનગર ABVP દ્વારા આ ઘટનાને વખોળવામાં આવી છે.
જામનગર અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા શહેરના રતનબાઈ મસ્જિદ ચોક વિસ્તારમાં આવેલ ગાંધીજીની પ્રતિમા નજીક NSUIના કાર્યકર્તાઓને ભગવાન સદબુધ્ધિ આપે અને તેઓ હિંસાનો રસ્તો છોડે તે માટે સદબુધ્ધિ યજ્ઞ કર્યો હતો. અહિંસાના પ્રતિક એવા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સદબુધ્ધિ યજ્ઞ યોજી NSUI દ્વારા બીજી વખત આવું કૃત્ય ન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
Next Story