Connect Gujarat
Featured

જામનગર : અરુણાચલ પ્રદેશમાં ફરજ દરમ્યાન શહીદ થયેલ વીર જવાનને સીદી જમાત દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

જામનગર : અરુણાચલ પ્રદેશમાં ફરજ દરમ્યાન શહીદ થયેલ વીર જવાનને સીદી જમાત દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
X

જામનગર ખાતે સીદી જમાત દ્વારા સીદી જમાતના વીર શહિદને 2 મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અરુણાચલ પ્રદેશમાં ફરજ દરમ્યાન શહીદી વહોરી જનાર તાલાલા ગીરના વતની વીર શહિદ ઈમરાન સાયલીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના નદીપા વિસ્તારમાં આવેલ બાવાગોર દરગાહ ખાતે સમસ્ત સીદી જમાત જામનગર દ્વારા 2 મિનિટનું મૌન પાડી પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. હાલ કોરોનાની મહામારી ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઇન મુજબ સીદી જમાતના પ્રમુખ સહિત જૂજ આગેવાનોએ વીર શહિદ ઈમરાન સાયલીને શ્રધ્ધાંજલિ આપી હતી.

Next Story