Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અંકલેશ્વરની જયઅંબે વિદ્યાભવનમાં મચી "ધમાચકડી”, જુઓ કેમ

ભરૂચ : અંકલેશ્વરની જયઅંબે વિદ્યાભવનમાં મચી ધમાચકડી”, જુઓ કેમ
X

અંકલેશ્વરની જયઅંબે વિદ્યાભવનમાં અભ્યાસ ઇતર પ્રવૃતિના ભાગરૂપે ધમાચકડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની જય અંબે વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ ચેરીટીના ઉમદા હેતુથી ધમાચકડીના શિર્ષક હેઠળ આનંદમેળાનું સુંદર આયોજન કર્યું હતું. શાળાના પટાંગણમાં આયોજીત આનંદમેળામાં રમત-ગમત તેમજ ખાણીપીણીના 35થી વધારે સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર આનંદમેળાનો લાભ લીધો હતો. શાળાના ટ્રસ્ટીઓ તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story