Connect Gujarat
દેશ

J&K : કિશ્તવાડ જિલ્લામાં એક મિની બસ ખીણ ખાબકી : 17ના મોત

J&K : કિશ્તવાડ જિલ્લામાં એક મિની બસ ખીણ ખાબકી : 17ના મોત
X

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક મિની બસ ખીણ ખાબકી હતી, જેમાં 17 મુસાફરોના મોત નીપજ્યા હતા. જયારે 16 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, પોલીસ અધિકારી દ્રારા જાણવા મળ્યું હતું કે આ ઘટના શુક્રવારે સવારે બની હતી, કેશવાનથી કિશ્તવાડ જઈ રહેલી મિની બસના ચાલકે બસ પરથી અચાનક કાબુ ગુમાવતા બસ ચેનાબ નદીની પાસે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી

પોલીસ અધિકારી જણાવ્યા અનુસાર બસમાં 33 થી વધુ યાત્રીઓ સવાર હતા,ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હેલીકૉપટરની મદદથી જમ્મુમાં દાખલ કરાયા હતા.એક મહિનામાં આ કિશ્તવાડમાં ત્રીજી મોટી દુર્ઘટના બની છે

Next Story