Connect Gujarat
Featured

J&K : બાંદીપોરામાં આતંકવાદીઓેએ બીજેપી અધ્યક્ષ વસીમ બારીની કરી હત્યા

J&K : બાંદીપોરામાં આતંકવાદીઓેએ બીજેપી અધ્યક્ષ વસીમ બારીની કરી હત્યા
X

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓેએ પૂર્વ બીજેપી અધ્યક્ષ વસીમ બારીને ગોળી મારી હત્યા કરી દીધી છે. આતંકીઓએ વસીમના ભાઈ અને પિતા પર હુમલો કર્યો હતો, આ ત્રણેયના મોત નિપજ્યાં થયા છે.

મીડિયા દ્વારા જાણકારી મળી હતી કે આતંકવાદીએ રાત્રે 9 વાગ્યે બાંદીપોરા પોલીસ સ્ટેશન પાસે વસીમ બારીની દુકાન બહાર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારીમાં ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું અનુસાર, ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, બાંદીપોરા જિલ્લાના પૂર્વ બીજેપી અધ્યક્ષ વસીમ બારી, તેના પિતા અને ભાઈનું મોત થયું છે. પરિવારની સુરક્ષા માટે આઠ સુરક્ષાકર્મી રહે છે પરંતુ દુર્ભાગ્ય કે જ્યારે ઘટના બની ત્યારે ત્યાં કોઈ પણ સુરક્ષાકર્મી હાજર નહોતો.

Next Story