જુનાગઢ : ગુજરાતી લોક ડાયરના પ્રખ્યાત કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન
BY Connect Gujarat7 Aug 2020 3:23 AM GMT
X
Connect Gujarat7 Aug 2020 3:23 AM GMT
“ભીતરનો ભેરુ મારો” નામનું પ્રખ્યાત ભજન ગાનાર પ્રખ્યાત કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન થયું છે. ગુજરાતી ડાયરો અને ગુજરાતી ભજનના બેતાજ બાદશાહ મૂળ સૌરાષ્ટ્ર જૂનાગઢના 'શિવબાલક'ના હુલામણા નામથી પ્રખ્યાત એવા યોગેશપુરી ગોસ્વામીનું જૂનાગઢ ખાતે અવસાન થયેલુ છે. ગુજરાતી સાહિત્ય, ભજન અને લોકગીતોના આ કલાકારની આકસ્મિક વિદાયથી કલાકાર જગતમાં શોકની લાગણી પ્રસરાઇ ગઇ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશ વિદેશમાં પોતાની કલા પીરસનાર યોગેશપુરી ગોસ્વામીના અચાનક અવસાનના સમાચાર મળતાં તેમના પરિવારજનો અને તેમના બહોળો ચાહકવર્ગ દુઃખી થયો છે.
Next Story