Home > Featured > જુનાગઢ : ફીલ્મ સ્ટાર આમીરખાનનું સાસણગીર ભ્રમણ, ચાર રૂટ પર ફરી 13 સિંહોને નિહાળી અભિભુત
જુનાગઢ : ફીલ્મ સ્ટાર આમીરખાનનું સાસણગીર ભ્રમણ, ચાર રૂટ પર ફરી 13 સિંહોને નિહાળી અભિભુત
BY Connect Gujarat27 Dec 2020 7:55 AM GMT
X
Connect Gujarat27 Dec 2020 7:55 AM GMT
સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના સાસણગીરના જંગલમાં એશિયાટીક સિંહો જોવા મળે છે ત્યારે ફીલ્મ અભિનેતા આમીરખાને મેરેજ એનીવર્સરીની ઉજવણી સાસણગીરમાં કરી હતી. એશિયાટીક સિંહોને નિહાળી ખાન પરિવાર અભિભુત થયો હતો.
ફિલ્મ સ્ટાર આમિર ખાન આજે સાસણ આવી પહોંચ્યા હતાં અને વહેલી સવારે પોતાના પરિવાર અને મિત્રો સાથે સિંહ જોવા અભયારણમાં ગયા હતાં. તેમની સાથે વન વિભાગના અધિકારીઓ પણ જોડાયાં હતાં. અલગ-અલગ ચાર રુટો ઉપર ૧૩થી વધારે સિંહો જોયા ખાન પરિવાર ખૂબ જ પ્રભાવિત થઈ ગયું હતું. મીડીયા સાથેની વાતચીતમાં આમીરખાને જણાવ્યું હતું કે, સિંહ દેશનું ગૌરવ છે અને રોયલ એનિમલ છે અત્યાર સુધી સાસણની વાત સાંભળી હતી પરંતુ આજે તેનાથી પણ વધારે સુંદર દૃશ્ય જોઈને ખૂબ જ મજા આવી ગઈ છે. હું તમામ લોકોને જરૂર જણાવીશ કે એકવાર સિંહ જોવા સાસણ જરૂરથી આવવું જોઇએ..
Next Story