કપિલ શર્મા શોને પણ કોરોનાનું કહેર, કેન્સલ કરવું પડ્યું શૂટિંગ
કોમેડી કિંગ ધ કપિલ
શર્મા શો પર પણ કોરોના વાયરસની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ચંદન પ્રભાકરે જણાવ્યું
હતું કે બુધવારે શોનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસથી
સમગ્ર મનોરંજનની દુનિયા ભારે પ્રભાવિત થઈ છે. ટીવીથી લઈને સિનેમા સુધીની, આ વાયરસનો ડર દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શોનું શૂટિંગ પણ હાલમાં
જ રદ કરવામાં આવ્યું છે.
બોમ્બે ટાઇમ્સના એક
અહેવાલ મુજબ, 18 માર્ચે શૂટ થનાર ધ કપિલ શર્મા શોનો એક એપિસોડ
કેન્સલ કરવામાં આવ્યો છે. સ્ટાર કાસ્ટથી લઈને ક્રૂ સુધીના દરેકને ઘરે જ રહેવાનો
આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે ચંદન પ્રભાકરને શોમાં
ચંદુ ચાઈ વાલેની ભૂમિકા ભજવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હા, આપણે બુધવારે એક એપિસોડ શૂટ કરવાનું હતું, પરંતુ આગળની સૂચના સુધી અમારે શૂટિંગ રદ કરવાની વાત કહેવામા આવી છે.
"