Connect Gujarat
ગુજરાત

કરજણઃ અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટા જતાં કુરાલી ગામના ઉપસરપંચનો ગળે ફાંસો

કરજણઃ અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટા જતાં કુરાલી ગામના ઉપસરપંચનો ગળે ફાંસો
X

અન્ય મહિલા સાથે સંબંધો હોય તેના પતિને જાણ થતાં ઘરમાંથી કાઢી મૂકતાં ક્યા બાદ ફૂટ્યો ભાંડો

કરજણ તાલુકાના કુરાલી ગામના ઉપસરપંચે લીમડાના ઝાડની ડાળી પર ગળે ગાળીયો લગાવી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના કુરાલી ગામના ઉપસરપંચ દિનેશ જયંતીભાઇ વસાવાને ધાવટ ગામની મહિલા સાથે છેલ્લા છ માસથી આડા સંબંધ હતા. જેની જાણ શંકુબેનના પતિ કનુભાઇને થતાં શંકુબેનને તેઓના પતિને ચાર દિવસ પર ઘરમાંથી કાઢી મૂકી હતી. શંકુબેનને પતિએ ઘરમાંથી કાઢી મૂકતા હવે તું મને પત્ની તરીકે સ્વીકાર એવું દિનેશને દબાણ કરતી હતી.

દિનેશભાઇ ગ્રામપંચાયતના ઉપસરપંચ પણ હોય તેઓની પરિવાર, ગામ તથા સમાજમાં ઇજ્જત હોય અને પોતાની આબરૂ જાય એમ હોય દિનેશભાઇ ગતરાત્રીના પોતાની પત્નીને ભાગોળે બેસવા જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા દિનેશભાઇ મોડીરાત સુધી ઘરે પરત ન ફરતા તેઓના મોટાભાઇ ચોકડી ઉપર તપાસ કરતા દિનેશભાઇ ન મળી આવતા તેઓના મોટાભાઇએ દિનેશભાઇની પત્ની તથા ફળીયાના માણસોને વાત કરતા બધાએ ગામમાં તથા સીમમાં તપાસ કરતા રાત્રીના ૨.૩૦ વાગ્યાના સમયે દિનેશભાઇ ગામની હાઇસ્કૂલ પાછળ આવેલા લીમડાના ઝાડની ડાળી ઉપર સાડી બાંધી ગળે ગાળીયો લગાવી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હાલતમાં ઘટનાની જાણ થતા કરજણ પોલીસે સ્થળ ઉપર પહોંચી દિનેશભાઇના મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પી એમ અર્થે કરજણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story