Connect Gujarat
Featured

સુરત : શહેરની મુલાકાતે આવેલા સીએમ કેજરીવાલે કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી

સુરત : શહેરની મુલાકાતે આવેલા સીએમ કેજરીવાલે કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી
X

સુરતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો અને કાર્યકરો સાથે બેઠક યોજી સંગઠનને મજબૂત કરવા રણનીતિ અને ચર્ચા કરી હતી.

ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપ લાવનાર આમ આદમી પાર્ટીએ સુરતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. પાર્ટીના પ્રદર્શનથી ખુશ થઈ પાર્ટીના કન્વીનર અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે દોડી આવ્યા છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટા વરાછા ખાતે ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત આપના કાર્યકર્તાઓ જોડે પાર્ટીને કેવી રીતે વધુ મજબૂત બનાવવી અને લોકોના હિતમાં કેવા કાર્ય કરવા તે અંગે બેઠક યોજી હતી. અરવિંદ કેજરીવાલ આજે બપોરે 3 કલાકે વરાછા માનગઢ ચોકથી ભવ્ય રોડ શો યોજી સુરતના લોકોનું અભિવાદન કરશે. રેલી પૂર્ણ થયા બાદ સાંજે 7 કલાકે તક્ષશીલા કોમ્પ્લેક્ષ પાસે જાહેર સભાને પણ સંબોધશે.

Next Story