Home > Featured > ખેડા : અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામ મંદિર માટે સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. 52 લાખ નિધિ અર્પણ કરાઇ
ખેડા : અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામ મંદિર માટે સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. 52 લાખ નિધિ અર્પણ કરાઇ
BY Connect Gujarat6 March 2021 8:09 AM GMT
X
Connect Gujarat6 March 2021 8:09 AM GMT
ખેડા જિલ્લાના મુખ્ય મથક એવા નડીઆદમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામ મંદિર માટે 52 લાખ રૂપિયાની નિધિ અર્પણ કરવામાં આવી હતી.
અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામ લલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ અર્થે નડીઆદ સ્થિત શ્રી સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને 52 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના સંતો-મહંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ નડીઆદના ચોક્સી મહાજન એસોસિએશન દ્વારા પણ રૂપિયા 2.05 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
Next Story