ખેડા: વડતાલ સ્વામિનારણ મંદિરે સી.એમ.ના સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા કરાઇ, જુઓ વિડીયો
BY Connect Gujarat20 Feb 2021 9:20 AM GMT
X
Connect Gujarat20 Feb 2021 9:20 AM GMT
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે ત્યારે તેઓ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરે સર્વમંગલ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે મંદિરોમાં પૂજા પાઠ હવન અવારનવાર કરવામાં આવતા હોય છે પણ ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આજે રાજ્યના મુખ્ય પ્રધાન, ખેડા કલેકટર, ડીડીઓ અને કોરોના દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે સર્વ મંગલ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના સંતો સહીત ખેડા સાંસદ,રાજ્ય સરકારના મુખ્ય દંડક પંકજ દેસાઈ, સહીત ભાજપના જીલ્લા પ્રમુખો અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન તેમજ કોઠારી ઉપસ્થિત રહી મુખ્યપ્રધાન સહીત તમામ કોરોના દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
Next Story