Connect Gujarat
Featured

અમદાવાદ : સુતેલી સરકારને જગાડવાનો નવતર વિરોધ, કિસાન કોંગ્રેસે તાળી અને થાળી વગાડી

અમદાવાદ : સુતેલી સરકારને જગાડવાનો નવતર વિરોધ, કિસાન કોંગ્રેસે તાળી અને થાળી વગાડી
X

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માંગ સાથે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કલ્યાણપુર તાલુકા સમિતિ દ્વારા રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાં પ્રીમિયમ ભર્યા બાદ તેને રદ કરી દેવતા એક પક્ષીય નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માંગ સાથે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કલ્યાણપુર તાલુકા સમિતિ દ્વારા મુખ્યમંત્રી ને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર કલ્યાણપુર મામલતદારને આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યમાં ખેડૂતોની ઉપસ્થિતમાં આવેદનપત્ર આપવા જતી વખતે તાળી થાળી વગાડી કુંભકર્ણ નિદ્રામાં સુતેલી સરકારને જગાડવાનો નવતર વિરોધ કિસાન કોંગ્રેસ અને કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો

આવેદન પત્રમાં જણાવ્યાનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ 10 ઓગસ્ટના દિવસે ચાલુ વર્ષના ખરીફ ઋતુ માટે પ્રધાનમંત્રી પાકવીમા યોજના રદ્દ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવે હતી. આ યોજના જ્યારે લાગુ કરી ત્યાર સુધીમાં તો ખેડૂતોએ પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાના નિયમો(1 એપ્રિલ થી 31 જુલાઈ) મુજબ પાકવીમા પ્રીમિયમ બેંકોમાં જમા કરી દીધું હતું. ત્યારબાદ અચાનક જ પ્રધાનમંત્રી પાકવીમા યોજના ખેડૂતોની સંમતિ લીધા વગર જ એક પક્ષીય નિર્ણય લઈ રદ્દ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરતો અને નિયમો મુજબ 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર ના સમયગાળામાં સતત 48 કલાકમાં 50 મિલિમિટર એટલે કે 2 ઇંચ કે તેથી વધારે વરસાદ પડે તો એને માવઠું ગણવામાં આવશે અને જે તાલુકમાં તાલુકા મથકે માવઠાનો વરસાદ નોંધાશે તેના 7 દિવસમાં જિલ્લા કલેકટર દ્વારા રાજય સરકારને દરખાસ્ત મોકલવાની રહશે ત્યારબદના 7 દિવસમાં રાજ્ય સરકારે નિર્ણય કરી ડીડીઓ ને સૂચના આપવાની અને 15 દિવસમાં ડીડીઓ એ નુકશાનીની આકારણી કરી ખેડૂતોને થયેલ નુકશનની આકારણી મુજબ જો 33% થી 60% સુધીનું નુકશાન હોય તો પ્રતી હેક્ટર રૂપિયા 20 હજાર વધારેમાં વધારે 4 હેકટર એટલે કે 80 હજાર પાક નુકશાનીના વળતર પેટે ચૂકવવાના અને જો નુકશાન 60% કરતા વધારે હોય તો પ્રતી હેકટર 25 હજાર વધારેમાં વધારે 4 હેકટરની મર્યાદામાં એટલે કે રૂપિયા 1 લાખ રૂપિયા સુધી પાક નુક્શાનીના વળતર પેટે ચૂકવવાની જાહેરાત કરી છે.

Next Story