Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 275 નવા કેસ નોધાયા, 430 દર્દીઓ થયા સાજા

કોવિડ-19 : રાજ્યમાં આજે 275 નવા કેસ નોધાયા,  430 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 275 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી 1 નું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.26 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 430 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,55,489 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2800 એક્ટિવ કેસ છે, જેમાંથી 27 લોકો વેન્ટિલેટર પર અને 2773 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4392 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 275 નવા નોધાયેલ કેસ પૈકી વડોદરા કોર્પોરેશનમાં 69, અમદાવાદ કોર્પોરેશનમાં 47, સુરત કોર્પોરેશનમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 18, વડોદરામાં 11, નર્મદા-9, રાજકોટ-9, જુનાગઢ-7, આણંદ-5, જુનાગઢ કોર્પોરેશન-5, અમરેલી-4, ગાંધીનગર-4, ગીર સોમનાથ-4, મોરબી-4, બનાસકાંઠા-3, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ અને સાબરકાંઠામાં 3-3 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 4,53,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.

Next Story