Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 454 નવા કેસ નોધાયા, 361 દર્દીઓ થયા સાજા

કોવિડ-19 : રાજ્યમાં આજે 454 નવા કેસ નોધાયા, 361 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 454 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 361 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણથી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4411 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 2638337 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.44 ટકા પર પહોંચ્યો છે. હાલ 2522 એક્ટિવ કેસ છે, જેમાંથી 37 લોકો વેન્ટિલેટર પર અને 2485 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 454 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 112, સુરત કોર્પોરેશન 81, વડોદરા કોર્પોરેશનમાં 74, રાજકોટ કોર્પોરેશન 45, વડોદરા 12, આણંદ 11, સાબરકાંઠા 10, ભાવનગર કોર્પોરેશન 9, ખેડામાં 9, કચ્છ-9, ભરુચ-8, રાજકોટ-7, જુનાગઢ કોર્પોરેશન-6, મહેસાણા-6, સુરત-6, અમરેલી અને ગાંધીનગર કોર્પોરેશનમાં 5-5 કેસ નોંધાયા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 9,41,602 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અને 1,97,351 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Next Story