Connect Gujarat
સમાચાર

કોવિડ:19 : ગુજરાત રાજ્યમાં આજે 908 નવા કેસ નોધાયા, 1102 દર્દીઑ થયા સાજા

કોવિડ:19 : ગુજરાત રાજ્યમાં આજે 908 નવા કેસ નોધાયા, 1102 દર્દીઑ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 908 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 4 દર્દીઑના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 1102 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,68,081 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3693 થયો છે. રાજ્યમાં હાલ 13,738 એક્ટિવ કેસ છે, જ્યારે 1,50,650 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,677 લોકો સ્ટેબલ છે..

રાજ્યમાં આજે 908 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 164, અમદાવાદ કોર્પોરેશનમાં 160, વડોદરા કોર્પોરેશનમાં 71, સુરતમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 48, વડોદરામાં 40, મહેસાણામાં 27, મોરબીમાં 23, સુરેન્દ્રનગરમાં 22, ભરૂચમાં 20, રાજકોટમાં 20, અમરેલી-જામનગર કોર્પોરેશન-પાટણમાં 17-17, ગાંધીનગર કોર્પોરેશનમાં 15 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 4 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1102 દર્દીઑ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 51,046 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 57,93,788 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.63 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,24,602 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,24,385 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 217 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

Next Story