Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 910 નવા કેસ નોધાયા, 1114 દર્દીઑ થયા સાજા

કોવિડ-19 : રાજ્યમાં આજે 910 નવા કેસ નોધાયા, 1114 દર્દીઑ થયા સાજા
X

રાજ્યમાં આજે કોરોનાના 910 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 6 દર્દીના મોત થયા છે. અને રાજ્યમાં આજે 1114 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,40,105 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4268 થયો છે.

રાજ્યમાં હાલ 10631 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,25,206 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 10569 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 910 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 184, સુરત કોર્પોરેશનમાં 122,વડોદરા કોર્પોરેશનમાં 107, રાજકોટ કોર્પોરેશનમાં 62, ખેડા-32, સુરતમાં-31, વડોદરા-31, દાહોદ-23, અમરેલી-21, રાજકોટ-21, મહેસાણા-20, ભાવનગર કોર્પોરેશન -19, ભરુચ-17, ગાંધીનગર-17, ગાંધીનગર કોર્પોરેશન-19, ભરુચ-17, ગાંધીનગર-17 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 6 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશમાં-2 અને રાજકોટમાં એક દર્દીનું મોત થયુ છે.

રાજ્યમાં આજે કુલ 1114 દર્દી સાજા થયા હતા અને 56,970 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 93,30,491 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.79 ટકા છે.

Next Story