કચ્છની 290 વર્ષની જૂની પરંપરા અનુસાર યોજાયો ભુજીયા દેવનો મેળો

કચ્છની 290 વર્ષની જૂની પરંપરા અનુસાર આજે ભુજીયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજાવિધિ રાજપરિવાર દ્વારા કરાઈ હતી. બાદમાં મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો.ભુજીયા ડુંગરનો એક રોચક ઇતિહાસ છે.
કચ્છની 289 વર્ષની રાજ પરંપરા અનુસાર આજે ભુજીયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાની નાગપંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ સાથે વર્ષમાં એકવાર યોજાતા ભુજીયાના મેળાનો આરંભ થયો હતો.આ નાગપંચમીના મેળાના ઇતિહાસની વાત કરીએ તો કચ્છ પર અવારનવાર વિદેશી આક્રમણો થતા ત્યારે કચ્છ રાજના રાવ દેશળજીએ ભુજની ફરતે અભેદ્ય કિલ્લા જેવો ભુજીયા ડુંગર બનાવ્યો હતો વર્ષો અગાઉ કચ્છ પર અમદાવાદના શેરબુલંદખાને 50 હજારના લશ્કરબળ સાથે ચડાઈ કરી હતી. ત્યારે રાજા , સેનાપતિ, લશ્કર , કચ્છની જનતાએ અને 9 હજાર નાગાબાવાઓએ ભેગા મળી તેની સામે લડત આપી હતી.
આ લડાઈ માં શેરબુલંદ ખાનને હરાવી કચ્છએ જીત મેળવી હતી તે દિવસ એટલે આજનો નાગ પાંચમી નો દિવસ બસ ત્યારથી દર વર્ષે રાજ પરંપરા અનુસાર રાજા દ્વારા અહીંયા પરંપરાગત રીતે પૂજન વિધિ કરવામાં આવે છે દરબારગઢમાં પૂજા કર્યા બાદ રાજાની શાહી સવારી નીકળે છે પહેલાના સમયમાં ઘોડા , હાથીઓ સવારીમાં નીકળતા હવે ગાડીઓ નીકળે છે ભુજીયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજા કર્યા બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવે છે.ભુજીયા ડુંગર પર દાદાના મંદિરે જવા 400 જેટલા પગથિયાં છે જે ચડીને લોકો દર્શનાર્થે જાય છે.અહીંથી સમગ્ર ભુજ નું અવકાશી અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે આજે વહેલી સવારથી ભુજ તેમજ આસપાસના લોકોની ભીડ જોવા મળી હતી.તો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.
આ દિવસ કચ્છવાસીઓ માટે અને ખાસ તો ભુજવાસીઓ માટે અનેરો છે.આ ભુજીયો કિલ્લો રાવ દેશળજીએ બંધાવ્યો હતો.આજે પણ આ કિલ્લો અકબંધ છે જે કચ્છની સંસ્કૃતિ વર્ણવે છે.જો કે , હાલમાં મંદિર પરના પગથિયાં જર્જરિત છે તો રોડ ખખડધજ છે પરંતુ ભુજીયા ડુંગર ના વિકાસના કામો થતા હોઇ અહીં પણ રીનોવેશન કરવામાં આવશે. આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા છેલ્લાના આદેશ અનુસાર રોહા ઠાકુર પુષ્પેન્દ્રસિંહ જાડેજાએ રાજવી પરંપરા અનુસાર પૂજન વિધિ કરાવી હતી બાદમાં મેળાનો પ્રારંભ થયો છે. આજના ભુજીયાના મેળાથી કચ્છમાં મેળાની મોસમની શરૂઆત થઈ છે.જે આવનારા દિવસોમાં સતત ચાલુ જ રહેશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT