Connect Gujarat
દેશ

લદ્દાખ સરહદ વિવાદ મુદ્દે રાહુલ ગાંધીનો રક્ષામંત્રીને સવાલ, મંત્રીએ કહ્યું – આપીશ વિસ્તારથી જવાબ

લદ્દાખ સરહદ વિવાદ મુદ્દે રાહુલ ગાંધીનો રક્ષામંત્રીને સવાલ, મંત્રીએ કહ્યું – આપીશ વિસ્તારથી જવાબ
X

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર ઉદભવેલો તણાવ દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, બંને દેશોએ કહ્યું છે કે, શાંતિપૂર્ણ સમાધાન બંને પક્ષના હિતમાં છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષામંત્રી રાજનાથ સિંહને આ મુદ્દે સવાલ કર્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ પર શાયરાના તંજ બાદ રાહુલ ગાંધીએ હવે રક્ષામંત્રી રાજનાથ સિંઘ પાસે લદ્દાખ સરહદ વિવાદ મુદ્દે પ્રશ્ન કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રક્ષા પ્રધાન રાજનાથ સિંહને પૂછ્યું છે કે, શું લદ્દાખની કેટલીક જમીન પર ચીને કબજો કર્યો છે? રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, રક્ષા પ્રધાન આ સવાલનો જવાબ આપશે કે નહીં?

રાહુલના સવાલ બાદ આ અંગે રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, 'કોંગ્રેસના ઘણા નેતાઓ આ સવાલ પૂછે છે કે, ભારત-ચીન સરહદ પર શું થઈ રહ્યું છે? હું દેશના લોકોને ખાતરી આપવા માગું છું કે, સંસદમાં આ પ્રશ્નની વિસ્તારથી માહિતી આપીશ.'

Next Story