Connect Gujarat
Featured

બચ્ચન પરિવાર જલદી સ્વસ્થ થઇ જાયએ માટે લતા મંગેશકરે કરી પ્રાર્થના

બચ્ચન પરિવાર જલદી સ્વસ્થ થઇ જાયએ માટે લતા મંગેશકરે કરી પ્રાર્થના
X

બચ્ચન પરિવાર પર હાલ કોરોનાએ હુમલો કર્યો છે. અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા તેમજ આરાધ્યા સહિત ચારે સભ્યો કોરોનાની લપેટમાં આવી ગયા છે. જ્યારે અમિતાભ અને અભિષેક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે હોમ ક્વોરોનટાઇન છે.

બચ્ચન પરિવાર જલદી સારા થઇ જાય તે માટે દેશભરમાંથી પ્રાર્થના-હવન -પૂજા પાઠ થઇ રહ્યા છે. તેમજ પ્રાર્થનાઓ પણ થઇ રહી છે. જેમાં કોકિલકંઠી લતા મંગેશકર પણ બાકાત રહ્યા નથી.

લતા મંગેશકરે બચ્ચન પરિવાર જલદી સારા થઇ જાય તેવી એક પોસ્ટ મુકી છે. પીઢ ગાયિકાએ ટ્વિટર પર લખ્યું છે કે, નમસ્કાર, અભિષેકજી, તમારા પિતાજી, તમે, ઐશ્વર્યાજી અને આરાધ્યા જલદી સ્વસ્થ થઇ જાવ તેવી પ્રાર્થના હું ઇશ્વરથી કરું છું.

Next Story