Connect Gujarat
Featured

મહીસાગર: સંતરામપુરના વોર્ડનં.6 ના રહીશે પોતાના સ્વખર્ચે જાહેર ગટરનું રિપેરિંગ કામ કરાવ્યુ

મહીસાગર: સંતરામપુરના વોર્ડનં.6 ના રહીશે પોતાના સ્વખર્ચે જાહેર ગટરનું રિપેરિંગ કામ કરાવ્યુ
X

મહીસાગરના સંતરામપુરમાં વોર્ડ નંબર 6ના એક રહીશે પ્રજાને મુશ્કેલીઓ ન પડે તે માટે પોતાના સ્વખર્ચે જાહેર માર્ગ ઉપર ગટરનું રિપોરીગ કાર્ય કરાવ્યું છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 6માં રસ્તાઓ, ગટરો બિસ્માર હાલતમાં છે અને ત્યાંથી અવરજવર કરતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજ સુધી તૂટી ગયેલી ગટર પર પથ્થરો મુકીને ટેકો મારીને ચલાવતા લોકો નવી ગટર અને તેના ઉપર પાકું આરસીસી કામ કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આખરે કંટાળી ગયેલા સ્થાનિક રહીશ ઇરફાનભાઇ કોઠારીએ સ્વખર્ચે સમગ્ર ગટર રીપેરીંગનું કામ કરાવ્યું હતું.

Next Story