Connect Gujarat
Featured

મકર સંક્રાંતિ 2021: જાણો એવું તો શું ખાસ છે મકર સંક્રાંતિ પર્વ પર !

મકર સંક્રાંતિ 2021: જાણો એવું તો શું ખાસ છે મકર સંક્રાંતિ પર્વ પર !
X

મકર સંક્રાંતિ 2021 : આ વર્ષે ખૂબ જ ખાસ સંયોગ સાથે આવી રહી છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ જ મનાવવામાં આવશે તેનું કારણ આ વર્ષે ગ્રહોના રાજા સૂર્ય આ જ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુવારે 14 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગીને 14 મિનિટે સૂર્ય રાશિ પરિવર્તન કરીને મકરમાં પ્રવેસ કરશે. ગુરુવારે સંક્રાંતિ હોવાથી આ નંદા અને નક્ષત્ર અનુસાર મહોદરી સંક્રાંતિ માનવામાં આવશે જે બ્રાહ્મણો, શિક્ષકો, લેખકો, વિદ્યાર્થીઓ માટે લાભપ્રદ અને શુભ રહેશે. શાસ્ત્રોનો મત છે કે સંક્રાંતિના 6 કલાક 24 મિનિટ પહેલાથી પુણ્ય કાલ આરંભ થઈ જાય છે. જેથી આ વર્ષે બ્રહ્મ મુહૂર્તથી સંક્રાંતિ સ્નાન, દાન, પુણ્ય કરવામાં આવશે. આ દિવસે બપોરે 2 વાગયાને 38 મિનિટ સુધી સંક્રાંતિ સંબંધિત ધાર્મિક કાર્યો કરવા માટે ઉત્તમ સમય છે. આમ તો આખો દિવસ સ્નાન અને દાન કરી શકાય છે.

મકર સંક્રાંતિની તિથિનો ઇતિહાસ


મકર સંક્રાંતિને લઈને પાછલા કેટલાક વર્ષોમાં મુંઝવણની સ્થિતિ રહી છે. કેમ કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી સાંજે અથવા રાતે થતો હતો. તેવામાં શાસ્ત્રો અનુસાર સંક્રાંતિ બિજા દિવસે મનાવવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિનો સમય યુગોથી બદલાતો આવ્યો છે. જ્યોતિષીય ગણના અને ઘટનાઓને જોડવાથી ખબર પડે છે કે મહાભારત કાળમાં મકર સંક્રાંતિ ડિસેમ્બરમાં મનાવવામાં આવતી હતી. એવો ઉલ્લેખ મળે છે કે છઠ્ઠી શતાબ્દીમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં 24 ડિસેમ્બરના રોજ મકર સંક્રાંતિ મનાવવામાં આવતી હતી. અકબરના સમયમાં 10 જાન્યુઆરી અને શિવાજી મહારાજના સમયમાં 11 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવામાં આવી હતી.

સૂર્યની ચાલને લઈને મકર સંક્રાંતિનું રહસ્ય


મકર સંક્રાંતિની તિથિનું આ રહસ્ય એટલા માટે છે કારણ કે સૂર્યની ગતિ પ્રતિ વર્ષે 20 સેકન્ડ વધી જાય છે. આ હિસાબે જોઈએ તો શક્ય છે કે 5000 વર્ષ પછી મકર સંક્રાંતિ જાન્યુઆરીમાં નહીં પરંતુ ફેબ્રુઆરીમાં મનાવવામાં આવશે. જોકે આ વખતે એક સારી વાત છે કે મકર સંક્રાંતિના સૂર્યનું આગમન 14 તારીખ સવારે થયું છે. આ કારમે મકર સંક્રાંતિ ગુરુવારે 14 જાન્યુઆરીના દિવસે જ મનાવવામાં આવશે.

જાણો કયા કારણોથી આ વર્ષે મકર સંક્રાંતિ ખાસ છે


આ વખતે મકર સંક્રાંતિના દિવસે ખાસ વાત એ છે કે સૂર્યના પુત્ર શનિ પર પોતાના ઘરમાં મકર રાશિમાં ગુરુ મહારાજ બૃહસ્પતિ અને ગ્રહોના રાજકુમાર બુધ અને નક્ષત્રપતિ ચંદ્ર સાથે સૂર્ય દેવ મકર રાશિમાં યોગ કરશે. ગ્રહોનો આવો સંયોગ ખૂબ જ દૂર્લભ માનવામાં આવે છે. કેમ કે ગ્રહોના આ સંયોગમાં સ્વયં ગ્રહોના રાજા, ગુરુ, રાજકુમાર, ન્યાયધીશ અને નક્ષત્રપતિ એક સાથે છે. આ સાતે જ સૂર્યનો પ્રવેશ શ્રવણ નક્ષત્રમાં થશે જેનાથી ધ્વજ નામનો શુભ યોગ બનશે. ગ્રહોના રાજા સૂર્ય સિંહ પર સવારથી મકરમાં સંક્રમણ કરશે. તેવામાં રાજનીતિમાં સત્તા પક્ષનો પ્રભાવ વધશે. દેશમાં રાજકીય ઉથલ-પાથલ, કેટલાક સ્થાનમાં સત્તામાં ફેરફાર પણ થઈ શકે છે.

Next Story