મોઢેશ્વરી પાટોત્સવ ની અંકલેશ્વર મા ઉત્સાહ પૂર્વક ઉજવણી, શહીદોને આપવામાં આવી શ્રધ્ધાંજલી
અંકલેશ્વર મા મોઢ ઘાંચી સમાજ દ્વારા મોઢેશ્વરી પાટોત્સવ ની ઉજવણી મા જ્ઞાતીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદી મા સામેલ થયા હતા. મોઢ જ્ઞાતિ ની કુળદેવી મોઢેશ્વરી માતા નો પ્રાગટ્ય દીન મહાસુદ તેરસ ના દિવસે ગુજરાત સહીત દેશભરમાં વસતા મોઢ સમાજ દ્વારા પાટોત્સવ ની ઉજવણી ભારે ઉત્સાહ અને ધર્મ આસ્થા સાથે કરવામાં આવેછે. અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ દ્વારા અંકલેશ્વર મા છેલ્લા અઞીયાર વર્ષ થી મોઢેશ્વરી માતા નો પાટોત્સવ ઉજવવામાં આવે છે તે મુજબ આજ રોજ સમાજ ના પ્રમુખ ચેતનભાઇ ગોળવાલા ની આગેવાની હેઠળ ઉજવણી કરવામાં આવી હતી સમાજ ની વાડી મોઢેશ્વરી ભવન ખાતે શાસ્ત્રો વિધિ થી માતાજી ની પૂજા કરવામાં આવી હતી બપોરે મહાપ્રસાદી યોજવામાં આવી હતી પ્રસાદી પહેલા મહાઆરતી કરવામાં આવી હતી ત્યાર.બાદ પુલવા ના શહીદ ને શ્રધ્ધાંજલી આપવા આવી હતી અને બે મીનીટ નુ મોન પારવામાં આવ્યું હતું જેમાં સમાજ ના અંકલેશ્વર ઉપરાંત હાંસોટ વાલિયા ઝઘડીયા સહિતના ગામો વસતા સમાજ ના લોકો ઉપરાંત ભરૂચ મોઢ ઘાંચી સમાજ ન આગેવાનો અંકલેશ્વર શહેર કોગ્રેસ આગેવાનો નજુભાઇ ફડવાના, મગનભાઈ પટેલ,કોશલભાઇ ગૌસ્વામી, નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ,ડીસપેનસરી કમીટીના ચેરમેન શીલપાબેન સુરતી, સત્તાપક્ષ ના નેતા જનકભાઈ શાહ સહિત ના આમંત્રિતો.