Connect Gujarat
ગુજરાત

મોરબી: દિવાલ ધરાશાયી થતાં 3 બાળકો સહિત 8 લોકોના મોત, 10 થી વધુ લોકો ઘાયલ

મોરબી: દિવાલ ધરાશાયી થતાં 3 બાળકો સહિત 8 લોકોના મોત, 10 થી વધુ લોકો ઘાયલ
X

મોરબીમાં દિવાલ ધરાશાયી થતાં 3 બાળકો સહિત 8 લોકોનું મોત નીપજયું હતું. આ તમામ મૃતકો મધ્યપ્રદેશના વતની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા પોતાની ધુંઆધાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે મોરબીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. મોરબીમાં છેલ્લા 30કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે, ત્યારે મોરબીમાં એક દુર્ઘટના ઘટી છે.

મોરબી શહેરના ઉમિયાજી સર્કલ પાસે આવેલ કામધેનુ પાર્ક નજીકની એક દિવાલ ધરાશાયી થતા 8 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. મૃતકોમાં 3 બાળકો પણ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મોરબી એસ.પી. કરણરાજ વાઘેલા અને મોરબી કલેકટર ઘટના સ્થળ પર દોડીઆવ્યા હતા. દીવાલ ધરાશાયી થતા 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એડિશનલ કલેકટર કેતન જોશીના જણાવ્યા પ્રમાણે તમામ મૃતકો મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.

Next Story