મુંબઈ : મોડી રાત્રે ગોરેગાંવમાં આવેલ સોમાની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકશાન
BY Connect Gujarat5 March 2020 4:36 AM GMT
X
Connect Gujarat5 March 2020 4:36 AM GMT
મુંબઈના ગોરેગાંવમાં જોગેશ્વરી ખાતે એક વેરહાઉસમાં રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. ગોરેગાંવના રામ મંદિર નજીક સોમાની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાયો હતો અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ફાયર બ્રિગેડની 7 ગાડીઓને ઘટના સ્થળ પર પહોંચવામાં 5 કલાક જેટલો સમય લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર સોમાની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને નજીકની દુકાનોને કરોડોનું નુકસાન થયું છે. જ્યાં આ આગ લાગી હતી, તેની બાજુમાં રહેણાંક વસાહતો છે, પરંતુ આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.
મળતી માહિતી મુજબ સોમાની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની
અંદર કેમિકલ ટાંકી ફૂટવાથી આગ ફેલાઈ હતી.
આગને કારણે અનેક દુકાનો ધરાશાયી થઈ હતી. હાલમાં
કારખાનામાં ફાયર
વિભાગ દ્વારા કુલિંગનું કામ ચાલી રહ્યું છે
Next Story