Connect Gujarat
Featured

નડિયાદ : કાચા માલમાં ભાવ વધારો થતાં વેપારીઓ મુશ્કેલીમાં, જુઓ નડિયાદના પતંગ બજારની કેવી છે સ્થિતિ

નડિયાદ : કાચા માલમાં ભાવ વધારો થતાં વેપારીઓ મુશ્કેલીમાં, જુઓ નડિયાદના પતંગ બજારની કેવી છે સ્થિતિ
X

ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાં નડિયાદમાં બનાવાયેલ પતંગો ઉડાવાય છે. નડિયાદ શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે. શહેરમાં ૧૦૦ ઉપરાંત કારખાનામાં ૫૦૦ જેટલા પતંગના કારીગરો દ્વારા વિવિધ પ્રકારની પતંગ બનાવાય છે.

ઉત્તરાયણ પર પતંગનું મહત્વ એક, બે દિવસ કે અઠવાડિયા પૂરતું હોય છે પરંતુ નડિયાદમાં પતંગનું મહત્વ આખા વર્ષ માટે રહેલું છે. પતંગ નડિયાદના અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ છે. શહેરના ગાજીપુરા વિસ્તારમાં ૧૦૦ ઉપરાંત પતંગના ગૃહ ઉદ્યોગ આવેલા છે. જેમાં ૫૦૦ ઉપરાંત કારીગરો કામ કરે છે.જે નાની મોટી રંગબેરંગી ૫૦ પૈસા થી લઈને ૧૦ રૂપિયા સુધીની તમામ પ્રકારની પતંગો બનાવે છે.આ કારીગરો પરંપરાગત રીતે પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

જે કારીગરો મિનિટમાં ૭ જેટલા પતંગ બનાવે છે. આ કારખાનાઓમાં રોજની હજારો પતંગો બને છે.જે રાજ્યભરમાં મોકલવામાં આવે છે. નડિયાદમાં બનાવવામાં આવેલી આ પતંગોની રાજ્યમાં વિવિધ શહેરોમાં ભારે માંગ રહે છે. હવે ઉત્તરાયણ નજીક હોઈ આ ગૃહઉદ્યોગોમાં હાલ દિવસ-રાત પતંગ બનાવવામાં આવી રહી છે. જો કે મંદીની અસર પતંગના માર્કેટમાં પણ જણાઈ રહી છે. જેને લઇ આ વર્ષે પતંગની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે પતંગનું ટર્નઓવર ઓછું રહેવાનો અંદાજ છે. કાચા માલમાં ભાવ વધારો થયો છે.

Next Story