Connect Gujarat
Featured

નડિયાદ: સંતરામ મંદિરના નામદાસજી મહારાજ 75 વર્ષની વયે દેવલોક પામ્યા

નડિયાદ: સંતરામ મંદિરના નામદાસજી મહારાજ 75 વર્ષની વયે દેવલોક પામ્યા
X

નડિયાદ સંતરામ મંદિરના નામદાસજી મહારાજ આજે સવારે સંતરામ મહારાજની અખંડ જ્યોતમાં લીન થયા. ૭૫ વર્ષની ઉંમરે મહારાજ શ્રી દેવલોક પામ્યા. સંતરામ મહારાજના તમામ ભક્તોમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે. મહારાજશ્રી ના અંતિમદર્શન માટે તેમના પાર્થિવ દેહને બપોરે 12 વાગ્યા સુધી મંદિરની પાછળના ભાગે રાખવામાં આવ્યો હતો.

જેમને મંદિરના પટાંગણમાં જ સમાધિ આપવામાં આવી છે. નામદાસજી મહારાજ જેઓએ સંતરામ મંદિરના રસોડા વિભાગમાં આજીવન સેવા આપી. એવા પરમ કૃપાળુ અને સૌના ચહિતા સંતની દેહ છોડી તેમનો આત્મા મહારાજશ્રીની અખંડ જ્યોતમાં લિન થયો છે. જે નડિયાદ સહિત દેશ-વિદેશમાં વસતા શ્રી સંતરામ મહારાજના ભક્તો માટે એક શોકના સમાચાર છે.

Next Story