Connect Gujarat
ગુજરાત

નર્મદા : બ્લડ કેન્સર ધરાવતા આદિવાસી વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યું સારું પરિણામ

નર્મદા : બ્લડ કેન્સર ધરાવતા આદિવાસી વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યું સારું પરિણામ
X

નર્મદા : બ્લડ કેન્સર ધરાવતા આદિવાસી વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યું સારું પરિણામ

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ભરાડા (રેલ્વા ) ગામડાનો આદિવાસી વિદ્યાર્થી બ્લડ કેન્સરની બીમારી સામે લડતા લડતા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી 78% પરિણામ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડાઇ લડી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાનકડા ભરાડા (રાલ્વા) ગામનો નાનકડો આદિવાસી વિદ્યાર્થી બ્લડ કેન્સરની બીમારી સામે લડી રહ્યો હતો. જેમાં કેટલાક લોકોએ કોરોનાને મ્હાત આપી છે, ત્યારે વિદ્યાર્થી પ્રિયાંશુકુમાર મહેશભાઈ વસાવાને કેન્સરની અનેક યાતનાઓ ભોગવીને કેન્સર સામે લડીને ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 78% પરિણામ લાવી સફળ થનાર આદિવાસી વિદ્યાર્થીએ સાબિત કરી બતાવ્યું છે કે, ગમે તેવી મુશ્કેલીમાં પણ હિંમત હાર્યા વગર સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

દેડીયાપાડા તાલુકાના ભરાડા (રેલ્વા)ના રહેવાસી મુકેશભાઈ માનસિંગભાઈ વસાવા કે જેઓ હાલ રહે દેડીયાપાડા અને બારોટ હાઇસ્કુલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવે છે. તેમના ધર્મપત્ની મુન્નીબેન વસાવા પણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના પુત્ર પ્રિયાંશુ વસાવાને ફેબ્રુઆરી 2017થી બ્લડ કેન્સરની બીમારી લાગુ પડી હતી, ત્યારબાદ સુરત ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં કિમોથેરાપી લીધી હતી. પરંતુ સારું ન થતા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે જીસીઆરઆઈ અમદાવાદ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, ત્યાં પ્રિયાંશુને 3 ડોઝ કીમોથેરાપી આપ્યા બાદ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તે પછીનો રિપોર્ટ 3 માસ બાદ કરવામાં આવતા પાછો રોગ જણાઈ આવ્યો હતો, ત્યારે આવી પરિસ્થિતિમાં પરીક્ષા આપી શકાય તેમ ન હોવાથી તેને એક વર્ષનો ડ્રોપ મૂકવાની ફરજ પડી. સતત કેન્સરની બીમારી સામે લડાઇ લડતા પ્રિયાંશુ હિંમત હાર્યો નહીં. અને આખું વર્ષ બીમારીમાં વિતાવ્યા છતાં પણ છેલ્લા એક મહિનામાં પરીક્ષા આપવી જ છે, તેવું મનોમન નક્કી કરીને ખૂબ જ મહેનત કરીને એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં 78% જેટલું સારું પરિણામ મેળવતા તેની ખુશીનો પાર રહ્યો નથી. કેન્સર જેવી બીમારી સામે પણ સફળતા મેળવી શકાય છે. તેવું સાબિત કરીને મન હોય તો માળવે જવાય તે કહેવતને પણ સાર્થક કરી બતાવી છે, ત્યારે આજે પ્રિયાંશુ લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. પ્રિયાંશુના કેન્સરની ગંભીર બીમારી સાથે જીવી રહ્યો છે, તેના પરિણામથી ખુશી વ્યક્ત કરતા તેના માતા-પિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કે તે એક દિવસ પરીક્ષાની જેમ ચોક્કસ કેન્સરની લડાઈ પણ જીતી જશે.

Next Story