Connect Gujarat
ગુજરાત

નર્મદા : સ્ટેચ્યું ઓફ યુનિટીની ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો શું છે નવો નિયમ..!

નર્મદા : સ્ટેચ્યું ઓફ યુનિટીની ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો શું છે નવો નિયમ..!
X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની ટિકિટમાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એક વ્યક્તિ માત્ર 6 જ ટિકિટ ખરીદી શકશે તેવો નવો નિયમ અમલી કરવામાં આવ્યો છે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીને જોવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે ઉમટી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનીની વ્યુઈંગ ગેલેરી જોવાની ઓન લાઇન ટિકિટનું પણ એડવાન્સ બુકિંગ થઈ જતું હતું. ટુર ઓપરેટરોથી લઈ ટિકિટ બ્લેક કરનારા 25થી 30 જેટલી ટિકિટ બુકીંગ કરાવી લેતા હતા. જેનાથી અન્ય પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ મળતી ન હતી, ત્યારે આ ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવામાં કોઈ અગવડતા ન પડે તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

હવે, સ્ટેચ્યું ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવા માટે કોઈ આવે તેઓને એક સાથે 6થી વધારે ટિકિટ મળશે નહીં. તેમજ મોબાઈલથી બુકિંગ કરાવતી વખતે વન ટાઈમ યુઝ ઓટીપી પણ આવે છે, ત્યારે દૂર દૂરથી આવતા પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફો ન પડે તે માટે હવે એક સાથે 6થી વધુ ટિકિટ બુક થઈ શકશે નહીં. જેના કારણે હવે હોટલ અને ટેન્ટસીટીમાં રૂમ બુક કરાવતા પ્રવાસીઓ જાતે મન ગમતા સ્લોટમાં પોતાના હિતમાં ટિકિટ બુક કરાવી શકશે. આ ઉપરાંત આગામી દિવસોમાં રેલ્વે જેવી ઓન લાઇન ટિકિટ સીસ્ટમ પણ શરૂ કરવામાં આવશે, જેથી કોઈ લેભાગુ ટુર ઓપરેટરો પ્રવાસીઓને છેતરી ન શકે.

Next Story