Connect Gujarat
ગુજરાત

ભારતી શ્રીજીના અવતરણ દિવસ નિમિત્તે માં નર્મદાને 1700 ફૂટની ચુંદડી અર્પણ કરાઈ

ભારતી શ્રીજીના અવતરણ દિવસ નિમિત્તે માં નર્મદાને 1700 ફૂટની ચુંદડી અર્પણ કરાઈ
X

સત્પ્રેરણા સંસ્થાના સંસ્થાપક ભારતી શ્રીજીના અવતરણ દિવસ નિમિત્તે આ વર્ષે બરકાલ ગામ ખાતે આવેલા વ્યાસ ક્ષેત્રમાં નર્મદા તટ પર પ્રકૃતિના ખોળે 14 અને 15 ડિસેમ્બરના રોજ ભવ્ય જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 14 ડિસેમ્બરના રોજ રાત્રે સંકીર્તન નાઈટ વિથ કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવ્યું હતું.

15 ડિસેમ્બરના રોજ ભક્તો દ્વારા શ્રીજીને અવતરણ દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રીજીએ ગરીબ કન્યાઓ અને બાળકોને ભોજન કરાવ્યું હતું. સાંજના સમયે શ્રીજી અને ભક્તોએ માં નર્મદાને 1700 ફૂટ ચુંદડી અર્પણ કરી હતી. ત્યારબાદ માં નર્મદાની સામૂહિક મહા આરતી કરવામાં આવી હતી.

Next Story