નવસારી જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો..!
BY Connect Gujarat15 April 2019 7:15 AM GMT
X
Connect Gujarat15 April 2019 7:15 AM GMT
ગ્લોબલ વોર્મિંગ એ દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. જેના ભાગ રૂપે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફાર જોવા મળી રહ્યા છે.
ભર ઉનાળે નવસારી જિલાના વાંસદા તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અને ગાજવીજ સાથે અચાનક વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કમોસમી વરસાદના કારણે વાંસદા તાલુકામાં થતા કેરી અને ચીકુના પાકને ભારે નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે.
Next Story