Connect Gujarat
ગુજરાત

‘હવેથી નવરાત્રિમાં વેકેશન નહીં મળે’, માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

‘હવેથી નવરાત્રિમાં વેકેશન નહીં મળે’, માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
X

ધોરણ-૯ અને ૧૧માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક મળી હતી. તેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હવેથી બોર્ડના નિર્ણયમાં ગાંધીનગર બોર્ડ દ્વારા નવરાત્રિ વેકેશન પર રોક લગાવી દીધી છે.

જેથી હવેથી નવરાત્રિમાં શાળાઓમાં વેકેશન નહીં મળે. ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં આજે એક અન્ય પણ નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત ધોરણ-૯ અને ૧૧માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story