ઓડિશા : લોકમાન્ય તિલક એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં 40 જેટલા મુશફરો થયા ઘાયલ
BY Connect Gujarat16 Jan 2020 4:23 AM GMT
X
Connect Gujarat16 Jan 2020 4:23 AM GMT
આ દુર્ઘટનમાં 6 જેટલા વ્યક્તિને ઘંભીર ઇજા પહોંચી
ઓડિશામાં આવેલ કટકના નરગુંડી રેલવે
સ્ટેશનની પાસે મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ
ઘટનામાં 40 જેટલા
મુસાફરો ઘાયલ થયા છે. હજી સુધી ટ્રેન કયા કારણોસર પાટ પરથી ઉતરી ગઈ તે જાણવા
મળ્યું નથી. ઘટના સ્થળે પહોંચેલી ટીમે રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું છે. ટ્રેન પાટા ઉપરથી નીચે
ઉતરવાનું પ્રથમ તારણ વધુ પડતું ધુમ્મસ હોવાનું માનવમાં આવ્યું છે.
આ ઘટનામાં હજી સુધી કોઈ પણ મુસાફરનું મોત થયું હોવાની
માહિતી નથી. અકસ્માતનું કારણ ગાઢ ધુમ્મસ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ ઘટના સ્થળે
પહોંચેલી ટીમ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડી રહી છે. ઓછી વિઝીબિલિટીના કારણે રેલવે અને વિમાન સર્વિસને
આ કારણે ખૂબ જ અસર થઈ છે..
Next Story