Connect Gujarat
દેશ

28મી જૂને પીએમ મોદી કરશે મન કી બાત, લોકો પાસેથી માંગ્યા સુઝાવ

28મી જૂને પીએમ મોદી કરશે મન કી બાત,  લોકો પાસેથી માંગ્યા સુઝાવ
X

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નિશ્ચિત રૂપે કોરોના વાયરસ રોગચાળા સામે લડત અને તેનાથી સંબંધિત મુદ્દાઓ વિશે આપને ઘણું કહેવાનું રહેશે. પીએમ મોદીએ લોકો માટે તેમના સંદેશા રેકોર્ડ કરવા માટે એક નંબર પણ બહાર પાડ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ચર્ચા માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. આ વખતે 28 મી જૂને મન કી બાત કાર્યક્રમ યોજાશે. વડા પ્રધાને લોકોને ટ્વીટ કરીને તેમના વિચારો અને ઇનપુટ્સ મોકલવાની અપીલ કરી છે.

વડા પ્રધાને ટવીટ કરીને કહ્યું છે કે આ વખતે 28 મી જૂનના રોજ મન કી બાત કાર્યક્રમ યોજાશે, જોકે કાર્યક્રમમાં 2 અઠવાડિયાનો સમય છે. આવી સ્થિતિમાં, પ્રોગ્રામ માટે તમારા સૂચનો આપો. વડા પ્રધાને કહ્યું કે વધુને વધુ ફોન અને ટિપ્પણીઓ દ્વારા મને તમારા વિચારો અને ઇનપુટ આપો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળા સામે લડત અને તેનાથી સંબંધિત મુદ્દાઓ વિશે આપને ઘણું કહેવાનું રહેશે. પીએમ મોદીએ લોકો માટે તેમના સંદેશા રેકોર્ડ કરવા માટે એક નંબર પણ બહાર પાડ્યો છે. ઉપરાંત, તેમણે નNamo એપ અને MyGov જેવા પ્લેટફોર્મ દ્વારા તેમના સૂચનો મોકલવાની અપીલ કરી છે.

Next Story