ઝઘડિયાઃ માધવપુરા ફાટક પાસે લોકોએ ટ્રેનને રોકી નોંધાવ્યો વિરોધ
BY Connect Gujarat4 Dec 2018 1:27 PM GMT
X
Connect Gujarat4 Dec 2018 1:27 PM GMT
ફાટક પાસે રેલવે ગરનાળામાં પાણી ભરાતા હોવાથી ગરનાળાને ખુલ્લું કરવાની અનેક વખત રજૂઆત કરી હતી
ઝઘડિયા તાલુકાનાં રાજપારડી નજીક માધવપુરાનાં ગ્રામજનોએ આજરોજ અંકલેશ્વર-રાજપીપલા ટ્રેનને રોકી વિરોધ દર્શાવ્યો હતો. માધવપુરા ફાટક પાસે રેલવે ગરનાળામાં પાણી ભરાતા હોવાથી ગરનાળાને ખુલ્લું કરવાની રજૂઆત અનેક વખત કરવા છતાં પગલાં નહીં લેવાતાં વિફરેલા લોકોએ આજરોજ ટ્રેનને રોકી વિરોધ દર્શાવ્યો હતો.
[playlist type="video" ids="75720"]
અંકલેશ્વર- રાજપીપળા વચ્ચે દોડતી ટ્રેન રાજપારડીથી પસાર થતી હોય GMDC ફાટક પાસેથી પસાર થતાં માધવપુરા ગામનાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. અહીં પાણી ભરાઈ જતાં હોવાથી ગામલોકોને રેલવે ટ્રેક ઓળંગવા માટે ખુલ્લું નાળું બનાવી આપવા માટે અગાઉ પણ અનેક વખત રેલવે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. છતાં કોઈ પગલાં નહીં લેવાતાં આખરે આજે લોકોએ ટ્રેન રોકી હતી.
Next Story