Connect Gujarat
Featured

પાકિસ્તાન : ટ્રેન અને મિનિ બસ વચ્ચે સર્જાયો અકસ્માત,19 લોકોના મોત

પાકિસ્તાન : ટ્રેન અને મિનિ બસ વચ્ચે સર્જાયો અકસ્માત,19 લોકોના મોત
X

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે બપોરે ટ્રેન અને મિનિ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 લોકોના મોત નીપજ્યા હતા. અને કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટાભાગના શીખ શ્રદ્ધાળુઓ હતા. અધિકારીઓએ જણાવ્યું કે, કરાચીથી લાહોર જઈ રહેલી હુસૈન એક્સપ્રેસે બપોરે ડોઢ વાગ્યે ફરુકાબાદમાં એક માનવ રહિત ક્રોસિંગ પર મિનિ બસને ટક્કર મારી હતી. બસમાં શીખ શ્રદ્ધાળુઓ સવાર હતા.

રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયા છે. અને કેટલાક મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી મોટાભાગના પાકિસ્તાની શીખ હતા. તેમણે જણાવ્યું કે, બસ ફરુકાબાદમાં ગુરુદ્વારા સચ્ચા સૌદા જઈ રહી હતી. શીખ શ્રદ્ધાળુઓ પેશાવરથી નનકાના સાહિબ આવ્યા હતા. નનકાના સાહિબમાં રોકાયા બાદ પેશાવર જઈ રહ્યાં હતા. નનકાના સાહિબની સરહદ સુધી તેમને ઈટીપીબીની સુરક્ષા આપવામાં આવી હતી

રેલમંત્રી શેખ રાશિદે અધિકારીઓને ઘટના માટે જવાબદાર લોકો સામે તત્કાલ પગલા લેવા આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ઈજાગ્રસ્તોને સારી તબીબી સહાયતા પૂરી પડવા કહ્યું છે.

Next Story