Connect Gujarat
Featured

'કસોટી જિંદગી કી'થી મશહૂર બનેલો અભિનેતા પાર્થ સમથાનનો કોરોના પોઝિટિવ

કસોટી જિંદગી કીથી મશહૂર બનેલો અભિનેતા પાર્થ સમથાનનો કોરોના પોઝિટિવ
X

કસોટી જિંદગી કી'થી મશહૂર બનેલો અભિનેતા પાર્થ સમથાન કોરોના પોઝિટિવ આવ્યો છે. જેણે આ જાણકારી શેર કરવા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. પાર્થે પોસ્ટમાં લખ્યું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણ હતા. મેં ટેસ્ટ કરાવ્યો અને હું પોઝિટિવ આવ્યો છું. હું મારી આસપાસના લોકોને પણ વિનંતી કરૂ છું કે, તે લોકો પણ કોવિડ-19નો ટેસ્ટ કરી લે. બીએમસી મારી સાથે સતત સંપર્કમાં છે અને હું સેલ્ફ ક્વોરોન્ટાઇનમાં છું. હું બધાં લોકોનો આભાર માનું છું, તમે લોકો પણ સુરક્ષિત રહો અને તમાંરૂ ધ્યાન રાખો.

https://www.instagram.com/p/CCilMhUHiYq/?utm_source=ig_embed&utm_campaign=loading

સિરિયલની ટીમે 20 જૂનથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પાર્થ થોડાં દિવસ પહેલાં જ હૈદરાબાદ પોતાના મિત્રને મળવા ગયો હતો. મુંબઈ આવીને પાર્થ થોડો સમય ક્વૉરન્ટીન રહ્યો હતો અને પછી જ તે શૂટિંગમાં કરવા આવ્યો હતો આ વાતને ધ્યાન રાખીને શૂટિંગ શિડ્યૂઅલ બનાવવામાં આવ્યું હતું. સૌથી પહેલાં ટીમ એક કમબેક પ્રોમો શૂટ કર્યો હતો, જેમાં એરિકા તથા પાર્થ જોવા મળ્યાં હતાં.’

પાર્થ સમથાન કસોટી જિંદગી કીમાં અનુરાગના રોલ માટે બહુ મશહૂર છે. લોકડાઉન પૂર્ણ થતાં આ સીરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેવામાં પાર્થ કોરોનો પોઝિટિવ આવતા હાલ શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.

હાલમાં પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂરે શૂટિંગ અટકાવી દીધું છે. સિરિયલ સાથે સંકળાયેલી પ્રોડક્શન ટીમ તથા તમામ કલાકારોનો હવે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સેટ પર 30 લોકો હાજર હતાં અને હવે આ તમામનો ટેસ્ટ કરાવવામાં આવશે. એકતા કપૂરનો સ્ટૂડિયો સીલ કરવામાં આવશે અને આ જ કારણે તેના અન્ય શો પર પણ અસર થશે.

Next Story