Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાં સેવા આપી તબીબ આવ્યા પોતાના ઘરે, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

ભરૂચ : અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાં સેવા આપી તબીબ આવ્યા પોતાના ઘરે, લોકોએ કર્યું ભવ્ય સ્વાગત
X

હાલ સમગ્ર દેશભરમાં કોરોના વાયરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક તરફ કોરોનાને પહોચી વળવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાગ્રસ્તોની સારવાર માટે તબીબો પણ પોતાની સેવા આપી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સતત પોતાની ફરજ નિભાવતા તબીબ ડો. ઝરીયાબ કોરોનાગ્રસ્તોની સેવા અને સારવાર બાદ ભાગ્યોદય સોસાયટી સ્થિત પોતાના નિવાસસ્થાને જતા સ્થાનિક લોકોએ તેમની સુંદર સેવા બદલ તેમના ઉપર ફૂલ વરસાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. કોરોના સામેની લડાઈમાં પોતાની સોસાયટીમાં જ રહેતા તબીબ દ્વારા કોરોનાગ્રસ્તોને સતત સારવાર કરવામાં આવતા સ્થાનિકોએ પણ ગર્વની લાગણી સાથે તબીબનો ઉત્સાહ વધાર્યો હતો.

Next Story