Connect Gujarat
દેશ

PM બનવા રામ મંદિર આંદોલન સાથે જોડાય લાલુ પ્રસાદ યાદવઃ તોગડિયા

PM બનવા રામ મંદિર આંદોલન સાથે જોડાય લાલુ પ્રસાદ યાદવઃ તોગડિયા
X

વિશ્વ હિન્દુ પરિષદના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ બુધવારે આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને સલાહ આપતા જણાવ્યું હતુ કે લાલુ પ્રસાદે વડાપ્રધાન બનવુ હોય તો તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અભિયાન સાથે જોડાવવું જોઇએ.

બિહારના કટિહાર જિલ્લામાં તોગડિયાએ જણાવ્યુ હતુ કે લાલુ પ્રસાદ યાદવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણના કાર્ય સાથે જોડાવુ જોઇએ. જો તેઓ તેમ કરશે તો હિન્દુઓ લાલુ પ્રસાદને પોતાના નેતાના રૂપમાં સ્વીકાર કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે પણ હિન્દુઓના હિતની રક્ષા કરશે તે જ હિન્દુઓનો નેતા બનશે.

પ્રવિણ તોગડિયાએ ઉમેર્યુ હતું કે બિહારના સીએમ નીતિશ કુમાર હિન્દુ હિત અને હિન્દુઓના હિત અંગે વાત કરશે તો અમે તેમને અમારા નેતા બનાવી લઇશુ. તોગડિયાએ કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ અને પ્રવિણ તોગડિયાના આલોચક તરીકે જાણીતા છે.

Next Story