Connect Gujarat
દુનિયા

PM મોદી શાંતિ સ્થાપવા એક તક આપે : ઇમરાન ખાન

PM મોદી શાંતિ સ્થાપવા એક તક આપે : ઇમરાન ખાન
X

પુલવામા આતંકી હુમલા પછી ભારતે કડક વલણ અપનાવ્યું છે અને પાકિસ્તાનને ચોતરફી ઘેરી લીધું છે ત્યારે પાકિસ્તાન ફરીથી શાંતિનો રાગ આલપી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાંતિ સ્થાપવા એક તપ આપવાની અપીલ કરી છે.

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને એમ પણ કહ્યું કે હું મારા શબ્દો પર અડગ છું. જો ભારત પુલવામા હુમલાને લઇને પુરાવા આપે છે તો અમે તરત કાર્યવાહી કરીશું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આતંવાદ વિરુધ્ધ લડવા અને તેને ખાતમ કરવા દુનિયા એકમંચ પર આવી છે. તેવા સમયે ઇમરાન ખાનનું આ નિવેદન બતાવે છે પાકિસ્તાન હવે ઘૂંટણીયે છે અને ભારત પાસે રહેમની ભિક માંગી રહ્યું છે.

Next Story