Connect Gujarat
ગુજરાત

કોરોનાના સંકટ પર PM મોદીએ તમામ મુખ્યમંત્રીઓને કહ્યું, સૌ એક જુથ થઈને કોરોનાનો સામનો કરીશું

કોરોનાના સંકટ પર PM મોદીએ તમામ મુખ્યમંત્રીઓને કહ્યું, સૌ એક જુથ થઈને કોરોનાનો સામનો કરીશું
X

નવી દિલ્હી કોરાના સંકટ પર વડાપ્રધાન

નરેન્દ્ર મોદી આજે તમામ મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરી. આ દરમિયાન મુખ્યમંત્રીઓ

સાથે વિવિધ રાજ્યોએ કરેલા ઉપાયોની ચર્ચા કરવામાં આવી આ સિવાય

કોરોનાને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પણ માહિતી

અપાઈ રહી છે. આ પહેલા વડાપ્રધાન મોદી ઘણા સેકટરના લોકોની સાથે કોરોનાના સંકટ પર

ચર્ચા કરી ચુક્યા છે.

દેશમાં

કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા 2000ને વટાવી ગઈ છે, જ્યારે 58 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકની

અંદર જ સાત લોકોના મોત થયા છે અને લગભગ 300 નવા કેસ સામે આવ્યા છે. ઝડપથી વધી રહેલા કોરોના

સંકટને લઈને સમગ્ર દેશ ચિંતિત છે.

મુખ્યમંત્રીઓની

સાથે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી આમ જનતા સુધી જરૂરી સામાન પહોંચાડવા અને

તેના માટે કરવામાં આવેલી વ્યવસ્થા પર વાત કરી શકે છે. સાથે જ પીએમ મોદી તમામ મુખ્ય

મંત્રીઓ સાથે લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવી શકે છે. સાથે જ રાજ્યોને અપીલ

કરવામાં આવી શકે છે કે જે રાજ્યોના જમાતના લોકો ગયા છે, તે તમામ લોકોને ઝડપથી હોસ્પિટલમાં

એડમિટ કરાવવામાં આવે.

કોરોના વાઈરસને

લઈને પીએમ નરેન્દ્ર મોદી તમામ રાજ્યોની મેડિકલ સેવાઓ અંગે માહિતી લેશે અને કેન્દ્ર

સરકારને રાજ્ય સરકારોને શું વિશેષ મદદ જોઈએ છે તેની પણ માહિતી લેવામાં આવશે.

સંકટના સમયમાં પીએમ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેના સંબંધ વધુ મજબુત

બનાવવા પર ભાર આપશે.

Next Story