Connect Gujarat
ગુજરાત

PNB કૌભાંડ મામલે અલ્હાબાદ બેન્કનાં પૂર્વ ડિરેક્ટરનું ચોંકાવનારૂ નિવેનદ

PNB કૌભાંડ મામલે અલ્હાબાદ બેન્કનાં પૂર્વ ડિરેક્ટરનું ચોંકાવનારૂ નિવેનદ
X

પંજાબ નેશનલ બેન્કને 11,500 કરોડનો ચૂનો લગાડનાર નિરવ મોદી રફુ ચક્કર થયા બાદ કૌભાંડને લઈને મોટો ખુલાસો થયો છે.અલ્હાબાદ બેન્કનાં પૂર્વ ડિરેક્ટર સામે આવ્યા છે,જેમણે દાવો કર્યો છે કે તેમણે યૂપીએ સરકાર સમયે જ આ કૌભાંડનો ખુલાસો કરી દીધો હતો અને આ વિશે સરકારને માહિતી આપી હતી.

મેહૂલ ચોક્સીની ગીતાંજલી જ્વેલર્સને રૂપિયા 1500 કરોડની લોન રીસ્ટ્રક્ચર કરવામાં આવે અને નવી રૂપિયા 50 કરોડની લોન આપવામાં આવે.આ મામલે મેં વિરોધ કર્યો હતો પરંતુ મેનેજમેન્ટે મારી વાતને નજર અંદાજ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ મામલે રીઝર્વ બેંક,તે વખતની સરકારનાં નાણાં મંત્રાલય સહિત તમામને પત્ર લખી જાણ કરી હતી.પરંતુ કોઈએ મારી વાત માની નહીં.જેનું પરિણામ આજે સામે છે.સરકારે આંખ આડા કાન કર્યા હતા.વધુમાં તેમણે કહ્યું કે આ કેસમાં ઉપર થી નીચે સુધી સૌ મળેલા હોવાનાં આક્ષેપો પણ કર્યા હતા.

Next Story