રાજકોટઃ ગોલીડા ગામે જમીન પચાવી પાડવા ભાણેજે કરી વૃધ્ધાની હત્યા
BY Connect Gujarat20 Sep 2018 11:45 AM GMT
X
Connect Gujarat20 Sep 2018 11:45 AM GMT
ગામની સીમમાં વૃધ્ધાની 30 થી 35 વિંઘા જેટલી જમીન આવેલી છે.
રાજકોટ જિલ્લાના ગોલીડા ગામે વૃદ્ધાની જમીન પચાવી પાડવા માટે ભાણેજ દ્વારા ગળેટૂંપો દઈ હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી જઈ હત્યારા ભાણેજને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના સરધાર નજીક ગોલીડા ગામમાં પતિના મોત બાદ વૃદ્ધા એકલવાયું જીવન જીવી રહ્યા હતા. આ વૃદ્ધાની ગામની સીમમાં 30 થી 35 વિંઘા જેટલી જમીન આવેલી છે. ભાણેજ દ્વારા આ જમીન પચાવી પાડવા માટે વૃદ્ધાની ગળેટૂંપો દઈ હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. હત્યા થઈ હોવાની વાત વાયુવેગે ગામમાં પસરી જતા શોકન માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ આજી ડેમ પોલીસને થતાં પોલીસે હત્યા કરી નાસી છુટેલા ભાણેજને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
Next Story