રાજકોટ : ભજનિક હેમંત ચૌહાણની દયાભાવના, ગરીબોને આપ્યાં ફુડ પેકેટ
BY Connect Gujarat27 March 2020 10:54 AM GMT
X
Connect Gujarat27 March 2020 10:54 AM GMT
દેશમાં લોકડાઉનની સ્થિતિ દરમિયાન ગરીબ લોકોની હાલત દયનીય બની છે ત્યારે જાણીતા ભજનિક હેમંત ચૌહાણ ગરીબોની વ્હારે આવ્યાં છે.
વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાયેલી છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો તેની ઝપેટમાં આવી ગયા છે. ભારત સહિત મોટા ભાગના દેશોમાં હાલ લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ભજન સમ્રાટ હેમંત ચૌહાણ તથા તેમના પરિવાર દ્વારા રાજકોટ માં વસવાટ કરતા મજુર વર્ગ તથા રોજીંદી મહેનત કરી ધર નું ગુજરાન ચલાવતા લોકો માટે ફુડ પેકેટ બનાવી વિતરણ કરવાનું શરૂ કર્યું છે.વધુમાં તેમણે લોકડાઉન દરમિયાન લોકોને તેમના ઘરોમાં જ રહેવા અને કામ વગર બહાર નહિ નીકળવા માટે અપીલ કરી છે.
Next Story