Connect Gujarat
Featured

રાજકોટ : જેતપુરના મેવાસામાં પત્નીએ જમવાનું બનાવવાની ના પાડી, વાંચો પછી પતિએ શું કર્યું

રાજકોટ : જેતપુરના મેવાસામાં પત્નીએ જમવાનું બનાવવાની ના પાડી, વાંચો પછી પતિએ શું કર્યું
X

રાજકોટ જિલ્લાનાજેતપુરના મેવાસાની સીમમાં મજૂરી કામ કરવા આવેલાં પત્નિ અને પતિ વચ્ચે ઝઘડો થતાં દારૂના નશામાં રહેલ પત્નિને પતિએ લાકડાનો ઘા ફટકારીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગત અનુસાર તાલુકાના મેવાસા ગામે રહેતા ખેડુત ભીખુભાઇ ત્રાપસીયા કે જેઓની વાડી ધોળીધાર રોડ પર કેનાલ કાંઠે આવેલી છે. ત્યાં મજુરી કામ માટે પરપ્રાંતિય દંપતિને દસથી પંદર દિવસ પહેલા રાખ્યાં હતાં. ગઇકાલે ભીખુભાઇ ભીખુભાઇ તેમની વાડીએ ગયેલ ત્યારે વાડીમાં મજુરી કામ માટે રાખેલાં અને મધ્યપ્રદેશના રહેવાસી રામસંગ મુલાસા માનઠાકુર ઉભો હતો. જયારે તેની પત્ની બેભાન અવસ્થામાં નીચે પડી હતી. આ બાબતે રામસિંગને પુછતાં તેણે જણાવ્યું હતું કે, જમવા બાબતે મારે પત્ની સાથે ઝગડો થયો હતો જેમાં લાકડાના સપાટો મારવાના કારણે સુમારીબેનનું મોત થયું છે. બનાવ સંદર્ભમાં ભીખુભાઇએ વિરપુર પોલીસને જાણ કરતા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડી રામસીંગ માનઠાકુર વિરૂધ્ધ આઇપીસી ૩૦૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story